Please enable javascript.Malaika Arjun Break Up,શું મલાઈકા - અર્જુનનું બ્રેકઅપ થયું, 5 વર્ષના સંબંધોમાં આવી ખટાશ? સામે આવી સચ્ચાઈ - malaika arora and arjun kapoor break up - Iam Gujarat

શું મલાઈકા - અર્જુનનું બ્રેકઅપ થયું, 5 વર્ષના સંબંધોમાં આવી ખટાશ? સામે આવી સચ્ચાઈ

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 1 Jun 2024, 12:06 pm
Subscribe

Malaika and Arjun break up: મલાઈકા અરોરા અને અર્જુન કપુર એકબીજા સાથે છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. હવે છેલ્લા કેટલાક દિવસો પહેલા બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાની માહિતી સામે આવી હતી. જોકે આ દરમિયાન એમના એક મેનેજરે કહ્યું કે બંને વચ્ચેના સંબંધો એકદમ સારા છે અને એકબીજા સાથે આવા સમયમાં પણ ઊભા રહ્યા છે. વાત કરીએ આગળની તો આમના પ્રેમ સંબંધમાં કોઈ તિરાડ ન પડી હોવાની માહિતી પણ સામે આવી રહી છે. જુઓ આ સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે ઘટ્યો

file pic
મલાઈકા અને અર્જુનના બ્રેકઅપની અફવા, ફાઈલ તસવીર
Malaika and Arjun break up: છેલ્લા કેટલાક દિલસોથી સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. બંને પ્રેમીઓએ એકબીજાથી અલગ થઈ ખુશી ખુશી બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો છે. આના પછી તો સોશિયલ મીડિયામાં લોકો અનુમાન લગાડવાનું શરૂ કરી બેઠા હતા. એટલું જ નહીં તેઓ કેમ છૂટા પડ્યા એની પણ અટકળો વહેવા લાગી હતી. આ બધા સમાચારો વચ્ચે તેમના મેનેજરનું એક ચોંકાવનારુ નિવેદન બહાર આવી ગયું છે. જેના પરથી બધા લોકો વિચારમાં પડી ગયા છે કે કઈ વાત સાચ્ચી અને કઈ વાત અફવા છે.

મલાઈકા અરોરાનાં મેનેજરે ઈન્ડિયા ટૂડે સાથેની વાતચીતમાં કહ્યું છે કે આ બ્રેકઅપ થયાની બધી જ વાતો માત્ર અફવા છે. તેણે આ તમામ પાયા વિહોણી વાતોને ફગાવી દીધી છે. એટલું જ નહીં બંને વચ્ચે બધુ સામાન્ય છે અને જોડી એકદમ સારી છે જે ક્યારેય અલગ નથી થઈ અને અત્યારે પણ એકબીજા સાથે પડખે ઊભી છે એમ કહ્યું હતું.

બંનેનું બ્રેકઅપ નથી થયું
પિંકવિલાના રિપોર્ટ્સ પ્રમાણે મલાઈકા અને અર્જુન વચ્ચે ખાસ સંબંધ હતો અને બંને એકબીજાના દિલમાં સંબંધ બનાવી રાખશે. તેમણે અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે અને આ અંગે એક રિસ્પેક્ટફુલ ચુપ્પી પણ તેમને સાધી દીધી છે. તે કોઈને પણ આ સંબંધ તૂટવા કે પછી અલગ રીતે વાળવામાં મજબૂર નહીં કરે.

તેણે વધુમાં કહ્યું કે આ બંને વચ્ચે એક શાનદાર બોન્ડ હતું અને છેલ્લા 5 વર્ષથી વધુના સમયથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેવામાં આ સમય બંને માટે અઘરો હશે પરંતુ કોઈની પણ માન સન્માનને ઠેસ પહોંચાડ્યા વિના તેઓ અલગ થઈ રહ્યા છે. તે બંને સિરિયસ રિલેશનશિપમાં હતા અને આશા રાખે છે કે તેમના ફેન્સ એમને આ કપરા સમયે સ્પેસ આપે.

2 વર્ષ પહેલા પણ અટકળો વહી હતીમલાઈકા અને અર્જુને 2018માં પોતાના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. 2022માં પણ તેમના બ્રેકઅપના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અર્જુને મલાઈકા સાથે એક તસવીર પણ પોસ્ટ કરી હતી અને પ્રતિક્રિયા આપી હતી. જેમાં લખ્યું હતું કે જે અટકળો છે એની અત્યારે અમારા બંને પર અસર પણ નથી થતી અને અમારા જીવનમાં એનું કોઈ સ્થાન પણ નથી. સુરક્ષિત રહો અને લોકોની ભલામણ માટે કામ કરો.તમને બધાને હું વંદન કરું છું.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો