Salman khan house firing Accused: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ થઈ ગઈ છે. આરોપીનું નામ વિશાલ ઉર્ફે કાલુ છે જે ગુરુગ્રામના મહાવીરપુરા કોલોનીનો રહેવાસી છે. કાલુ 29 ફેબ્રુઆરીએ રોહતકમાં ગુરુગ્રામના બિઝનેસમેન સચિન ઉર્ફે ગોડાની હત્યામાં પણ સામેલ હતો. પરંતુ આ ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આરોપી લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. મોડી રાત્રે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુરુગ્રામમાં વિશાલના ઘરે દરોડા પાડ્યા હતા. તેવામાં રોહતક પોલીસ આ પહેલા પણ તેના ઘર પર ઘણી વખત દરોડા પાડી ચૂકી છે.
કોણ છે વિશાલ ઉર્ફે કાલુ
વિશાલ રાહુલ ઉર્ફે કાલુ ગુરુગ્રામનો રહેવાસી છે. તેણે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેની સામે 5થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેને બે ભાઈ અને એક બહેન છે. ત્રણેય તેના કરતા મોટા છે અને વિશાલ સૌથી નાનો છે. વિશાલનો મોટો ભાઈ કલરકામ કરે છે ત્યારે એનો નાનો ભાઈ ત્યાં નોકરી કરતો હતો. વિશાલના પિતાનું અવસાન થઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. અત્યારે તેની માતા ઘરે જ રહે છે.
તમને જણાવી દઈએ કે રવિવારે વહેલી સવારે 5 વાગ્યે બાઇક પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ મુંબઈમાં સલમાન ખાનના ઘરે ગોળીબાર કર્યો અને ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સલમાન ખાનના ઘરની બહાર કુલ ચાર ગોળીઓ ચલાવવામાં આવી હતી અને ત્યારબાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બાઇક પર સવાર બે હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા છે. બાંદ્રા વિસ્તારના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જ્યાં સલમાન તેના પરિવાર સાથે રહે છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલમાં તે ઘટના સમયે ઘરે હતો કે નહીં તે અંગે પોલીસ કે તેના પરિવાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.
લોરેન્સે આપી હતી ધમકી
રાજસ્થાનમાં 1998માં કાળા હરણના શિકારની ઘટના બાદથી સલીમ ખાન અને સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ગયા વર્ષે માર્ચમાં પણ અભિનેતાની ઓફિસને ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ ગેંગસ્ટર લોરેન્સ અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક આઈડીએ દાવો કર્યો છે કે આ હુમલો લોરેન્સ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી.
ભાઈજાન કોઈનાથી ડર્યા નથી, કામ શરૂ કરશે
એક સૂત્રના જણાવ્યા અનુસાર, 'સલમાનનું ફોકસ પૂર્વ આયોજિત પ્લાન મુજબ પોતાનું કામ કરવા પર છે. તે આ ઘટનાને કારણે ડર્યો નથી કારણ કે તે માને છે કે લોકો એવું જ ઈચ્છે છે કે સલમાન ખાન ડરી જાય. આ દરમિયાન સલમાને પોતાના મિત્રો અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ચિંતા ન કરવાની સલાહ આપી છે. તેણે મહેમાનોને તેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ન આવવા માટે પણ કહ્યું છે.
સલમાન ખાન ઘર બદલશે નહીંસૂત્રોએ એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે ગોળીબારની ઘટના બાદ અભિનેતા પોતાનું સ્થાન બદલવા અથવા બીજા ફ્લેટમાં જવાનો ઇરાદો ધરાવતો હતો. ફાયરિંગ બાદ અરબાઝ ખાન, શૂરા ખાન, પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી, તેની બહેન અર્પિતા ખાન, જીજા આયુષ શર્મા, ભત્રીજો અરહાન અને ઘણા લોકો તેને મળવા આવ્યા હતા.
કોણ છે વિશાલ ઉર્ફે કાલુ
વિશાલ રાહુલ ઉર્ફે કાલુ ગુરુગ્રામનો રહેવાસી છે. તેણે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેની સામે 5થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેને બે ભાઈ અને એક બહેન છે. ત્રણેય તેના કરતા મોટા છે અને વિશાલ સૌથી નાનો છે. વિશાલનો મોટો ભાઈ કલરકામ કરે છે ત્યારે એનો નાનો ભાઈ ત્યાં નોકરી કરતો હતો. વિશાલના પિતાનું અવસાન થઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. અત્યારે તેની માતા ઘરે જ રહે છે.
તમને જણાવી દઈએ કે રવિવારે વહેલી સવારે 5 વાગ્યે બાઇક પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ મુંબઈમાં સલમાન ખાનના ઘરે ગોળીબાર કર્યો અને ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સલમાન ખાનના ઘરની બહાર કુલ ચાર ગોળીઓ ચલાવવામાં આવી હતી અને ત્યારબાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બાઇક પર સવાર બે હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા છે. બાંદ્રા વિસ્તારના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જ્યાં સલમાન તેના પરિવાર સાથે રહે છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલમાં તે ઘટના સમયે ઘરે હતો કે નહીં તે અંગે પોલીસ કે તેના પરિવાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.
લોરેન્સે આપી હતી ધમકી
રાજસ્થાનમાં 1998માં કાળા હરણના શિકારની ઘટના બાદથી સલીમ ખાન અને સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ગયા વર્ષે માર્ચમાં પણ અભિનેતાની ઓફિસને ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ ગેંગસ્ટર લોરેન્સ અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક આઈડીએ દાવો કર્યો છે કે આ હુમલો લોરેન્સ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી.
ભાઈજાન કોઈનાથી ડર્યા નથી, કામ શરૂ કરશે
એક સૂત્રના જણાવ્યા અનુસાર, 'સલમાનનું ફોકસ પૂર્વ આયોજિત પ્લાન મુજબ પોતાનું કામ કરવા પર છે. તે આ ઘટનાને કારણે ડર્યો નથી કારણ કે તે માને છે કે લોકો એવું જ ઈચ્છે છે કે સલમાન ખાન ડરી જાય. આ દરમિયાન સલમાને પોતાના મિત્રો અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ચિંતા ન કરવાની સલાહ આપી છે. તેણે મહેમાનોને તેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ન આવવા માટે પણ કહ્યું છે.
સલમાન ખાન ઘર બદલશે નહીંસૂત્રોએ એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે ગોળીબારની ઘટના બાદ અભિનેતા પોતાનું સ્થાન બદલવા અથવા બીજા ફ્લેટમાં જવાનો ઇરાદો ધરાવતો હતો. ફાયરિંગ બાદ અરબાઝ ખાન, શૂરા ખાન, પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી, તેની બહેન અર્પિતા ખાન, જીજા આયુષ શર્મા, ભત્રીજો અરહાન અને ઘણા લોકો તેને મળવા આવ્યા હતા.