Please enable javascript.Gujarat Chandipura Virus,ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંકટ ઘેરાયું, 24 કલાકમાં 6 લોકો મોત; શેનાથી ફેલાય છે સંક્રમણ? - gujarat chandipura virus news update 6 death - Iam Gujarat

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંકટ ઘેરાયું, 24 કલાકમાં 6 લોકો મોત; શેનાથી ફેલાય છે સંક્રમણ?

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 16 Jul 2024, 12:13 pm
Subscribe

Gujarat chandipura virus: ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકોના મોત થયા છે, અત્યારે આવા શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. ચાંદીપુરા વાઇરસમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે અને તીવ્ર એન્સેફાલીટીસ સાથે તાવ પણ આવી જાય છે.

હાઈલાઈટ્સ:

  • ગુજરાતની હિંમતનગર હોસ્પિટલમાં 6ના મોત
  • ચાંદીપુરા વાયરસના કારણે અન્ય 6 લોકોની હાલત ગંભીર છે
  • ચાંદીપુરા વાયરસ 1965માં પ્રથમ વખત દેખાયો હતો
  • ગુજરાતમાં આરોગ્ય વિભાગ એલર્ટ
file pic
ફાઈલ ફોટો
Gujarat chandipura virus: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના ચેપનું જોખમ વધી રહ્યું છે. સોમવારે ગુજરાતના હિંમતનગર હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કારણે છ લોકોના મોત થયા હતા. વાયરસના વધતા જતા સંક્રમણને જોતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી, પહેલો કેસ વર્ષ 1965માં મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો હતો. જે બાદ ગુજરાતમાં પણ આ ચેપ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે આ ચેપ સામાન્ય રીતે વરસાદની મોસમમાં જોવા મળે છે. આ ચેપી રોગ માખી અને મચ્છરના કરડવાથી થાય છે. આ ચેપ 9 મહિનાથી 14 વર્ષની વયના બાળકોમાં જોવા મળે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ વાયરસનો ચેપ વધુ જોવા મળે છે. જો બાળરોગના દર્દીઓમાં ઉચ્ચ-ગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો અને આંચકી જેવા પ્રાથમિક લક્ષણો દેખાય, તો તરત જ ડોકટરનો સંપર્ક કરો. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 કેસ મળી આવ્યા છે. જેમાં 6 દર્દીઓ સારવાર હેઠળ છે અને 6ના મોત થયા છે.
મંત્રીએ કહ્યું કે ચાંદીપુરા વાયરસના સેમ્પલ પુણેમાં પરીક્ષણ માટે મોકલવામાં આવે છે, જેનો રિપોર્ટ 12થી 15 દિવસમાં આવે છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 6 દર્દીઓના મોતના સમાચાર આવ્યા છે. પુણેના સેમ્પલના પરિણામો આવ્યા બાદ જ ચોક્કસ કહી શકાય કે આ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતા કે નહીં.

આરોગ્ય મંત્રીની સૂચનાથી રાજ્યના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સક્રિય સર્વેલન્સ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 4,487 ઘરોમાં કુલ 18,646 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. વાયરસને કાબૂમાં લેવા માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે.

ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ એ એક દુર્લભ અને ખતરનાક રોગ છે જે તાવ, ફ્લૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસનું કારણ બને છે. તે મુખ્યત્વે મચ્છર, ટીક અને સેન્ડફ્લાય દ્વારા ફેલાય છે. અભ્યાસ સૂચવે છે કે લક્ષણો ઝડપથી પ્રગતિ કરી શકે છે, જે શરૂઆતના પ્રથમ 24 કલાકની અંદર ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ અને એન્સેફાલીટીસ તરફ દોરી જાય છે. ચાંદીપુરા વાયરસ એટલો ખતરનાક છે કે તેનો મૃત્યુદર 75% સુધી છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાઇરસને કારણે ખૂબ જ તાવ આવે છે. ઝાડા અને ઉલ્ટી થાય છે. આ સાથે, તાવના એક-બે દિવસમાં શરીર ખૂબ જ નબળું થઈ જાય છે. તે પછી, આંચકી, પેટમાં દુખાવો, મગજમાં સોજો, ઉલટી વગેરે જેવા લક્ષણો દેખાય છે, જે મૃત્યુ તરફ દોરી શકે છે.

શું કરવું અને શું ન કરવું
અધિકારીઓએ મચ્છરોની વસતિને કાબૂમાં લેવા માટે 50 ટીમોને ભેગી કરી છે, ખેડૂતોને જંતુનાશકો ઉપયોગ કરવા વિનંતી કરી છે. માતા-પિતાને સલાહ આપવામાં આવે છે કે બાળકોને મચ્છર કરડવાથી બચવા માટે આખી બાંયના કપડાં પહેરાવવા જોઈએ.

ચાંદીપુરા વાયરસની સારવારચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ સારવાર નથી, મૃત્યુને રોકવામાં વહેલાસર નિદાન, હોસ્પિટલમાં દાખલ થવું અને લક્ષણોની સંભાળ મહત્વપૂર્ણ છે. એવું નોંધવામાં આવે છે કે આ વાયરસથી સંક્રમિત બાળકો લક્ષણો દર્શાવ્યાના 48-72 કલાકની અંદર મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં, આ વાયરસ બાળકો અને પુખ્ત વયના લોકો માટે ઘાતક છે. ગુજરાત સરકારે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો