Please enable javascript.Son Killed Mother,અમદાવાદના પાલડીમાં માતાની હત્યા કરી પુત્રએ જીવન ટૂંકાવ્યું - son killed mother and committed suicide in paldi ahmedabad - Iam Gujarat

અમદાવાદના પાલડીમાં માતાની હત્યા કરી પુત્રએ જીવન ટૂંકાવ્યું

Authored byચિંતન રામી | I am Gujarat 10 Jul 2024, 3:34 pm
Subscribe

અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ચકચારી ઘટના બની છે. પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં રહેતા પુત્રએ પહેલા તેની માતાની હત્યા કરી હતી અને બાદમાં પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. ઘરમાં માતા-પુત્ર એકલા જ રહેતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ હજી સુધી આવું કેમ થયું તેનું કારણ જાણી શકાયું નથી.

હાઈલાઈટ્સ:

  • આ ઘટના બુધવારે વહેલી સવારે કે પછી મંગળવારે રાત્રે બની હોય તેવું માનવામાં આવી રહ્યું છે
  • પોલીસે ત્યાં તપાસ હાથ ધરી હતી પરંતુ તેમને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી
  • પોલીસે ઘટના સ્થળનું નિરિક્ષણ કરીને આગળની તપાસ હાથ ધરી છે
mahalaxmi apartment paldi
પાલડીમાં પુત્રએ માતાની હત્યા કરીને પોતે જીવન ટૂંકાવી લીધું હતું.
અમદાવાદના પાલડી વિસ્તારમાં બુધવારે માતા-પુત્રના મોતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં આ ઘટના બની છે. જેમાં પુત્રએ પહેલા માતાની હત્યા કરી હતી અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. પાડોશીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટના બુધવારે વહેલી સવારે કે પછી મંગળવારે રાત્રે બની હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પાડોશીઓનું કહેવું હતું કે પુત્રને નોકરી જવાનું હોવાના કારણે દરરોજ તેઓ વહેલા ઉઠી જાય છે. પરંતુ બુધવારે સવારે તેમનો દરવાજો બંધ હતો જેના કારણે પાડોશીઓને શંકા ગઈ હતી. તેમણે બાદમાં પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્યાં તપાસ હાથ ધરી હતી પરંતુ તેમને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી. તેથી પુત્રએ માતાની હત્યા કરીને શા માટે આત્મહત્યા કરી તેનું કારણ હાલ પૂરતું જાણવા મળ્યું નથી.

આ ઘટનાની જાણ એફએસએલને પણ કરવામાં આવી હતી. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરમાં ફક્ત માતા-પુત્ર જ રહેતા હતા. પાડોશીઓનું કહેવું હતું કે પુત્ર થોડા સમયથી ડીપ્રેશનમાં રહેતો હતો પરંતુ બીજી કોઈ તકલીફ ન હતી. તેણે આવું કૃત્ય કર્યું તે જાણીને પાડોશીઓને પણ વિશ્વાસ થતો નથી. જોકે, પ્રાથમિક તપાસમાં તેના આ કૃત્ય પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળનું નિરિક્ષણ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં અંકલેશ્વરમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં પુત્રએ માતાની હત્યા કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં સિદ્ધાંત ચૌધરીની તેની માતા સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. જેના કારણે સિદ્ધાંત રોષે ભરાયો હતો અને માતાને ચપ્પાના ઉપરાછાપરી ઘા માર્યા હતા જેના કારણે માતાનું મોત થયું હતું.
ચિંતન રામી
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો