ગાંધીનગરઃ દેશના અનેક રાજ્યો સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાળો કહેર વર્તાવી રહી છે. જેની લીધે રાજ્યમાં સંક્રમણના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રોજ સામે આવી રહેલા નવા કેસના આંકડા પણ દર્શાવે છે રાજ્યમાં કોરોના હવે બેકાબૂ બની ગયો છે, સરકાર તો પગલા લઇ રહી છે, પરંતુ નાગરિકોએ જાતે પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.રાજ્યમાં મહાનગરોથી માંડીને નાના શહેરો પણ કોરોનાની ઝપેટમાં છે. અહીં કેસોના વધતાં પ્રમાણને જોઇને ગામડાં ચેતી ગયા છે અને જાતે જ લોકડાઉન લાગુ કરી કોરોના વિરુદ્ધ જંગ લડી રહ્યા છે. રાજ્યભમાં ગંભીર સ્થિતિ છે એવામાં ગામડાંમાં લોકો જાગૃત બની રહ્યા છે અને ઘાતકી લહેર સામે સ્વયંભૂ લોકડાઉન અપનાવી રહ્યા છે. શહેરોની સરખામણીએ ગામડાં વધારે સતર્કતા દાખવી રહ્યા છે અને સ્થિતિને પારખીને વધુને વધુ ગામ લોકડાઉન તરફ વધી રહ્યા છે.
માહિતી મુજબ છેલ્લા વિતેલા દિવસોમાં અનેક ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠાના ભાભર, મોરબીના ખાખરેચી અને હડમતીયા ગામ, દેવભૂમિના દેવળીયા, કલ્યાણપુર, રાવલ અને કાનપર શેરડી સહિત ગામડાં સામેલ છે. જ્યાં ગામ પ્રશાસને જ સ્વંયભૂ લોકડાઉન પાળવાનો નિર્ણય લીધો છે.
આ સિવાય જામનગરમાં કાલાવડના નિકાવા ગામે 35 કોરોના કેસ સામે આવતાં સ્વયંભુ લોકડાઉન રાખવાનું નક્કી કર્યું છે. રાજકોટમાં હડાળા ગામે પણ આજથી 15 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વકરી છે એવામાં આ ત્રીજા ગામે લોકડાઉન જાહેર કર્યું છે. જૂનાગઢમાં કેશોદ તાલુકાના બામણાંસા ગામમાં 15 દિવસ લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સિવાય રાજધાની ગાંધીનગરના અનેક ગામડાંમાં સ્વયંભૂ લોકડડાઉન લાગુ કરવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં લવારપુર, ધણપ, ખારેજ ગામ સામેલ છે. મહિસાગરમાં બાલાસિનોરના જેઠોલીમાં 18 કેસ નોંધાતા 3 દિવસ સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવાયું છે. બારડોલીના કડોદ બાદ માંડવી પણ આંશિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં ખેડા, પાલનપુર, ડીસા, નવસારી વગેરે અનેક વિસ્તારોમાં સ્યંભૂ લોકડાઉન અને આંશિક લોકડાઉન લાગુ થયા છે. આ તમામ ગામડાં પરિસ્થિતિને અનુસરતાં જરુરત મુજબની છૂટછાટ સાથે સ્વૈચ્છિક લોકડાઉન અપનાવી રહ્યા છે.
માહિતી મુજબ છેલ્લા વિતેલા દિવસોમાં અનેક ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠાના ભાભર, મોરબીના ખાખરેચી અને હડમતીયા ગામ, દેવભૂમિના દેવળીયા, કલ્યાણપુર, રાવલ અને કાનપર શેરડી સહિત ગામડાં સામેલ છે. જ્યાં ગામ પ્રશાસને જ સ્વંયભૂ લોકડાઉન પાળવાનો નિર્ણય લીધો છે.
આ સિવાય જામનગરમાં કાલાવડના નિકાવા ગામે 35 કોરોના કેસ સામે આવતાં સ્વયંભુ લોકડાઉન રાખવાનું નક્કી કર્યું છે. રાજકોટમાં હડાળા ગામે પણ આજથી 15 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વકરી છે એવામાં આ ત્રીજા ગામે લોકડાઉન જાહેર કર્યું છે. જૂનાગઢમાં કેશોદ તાલુકાના બામણાંસા ગામમાં 15 દિવસ લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સિવાય રાજધાની ગાંધીનગરના અનેક ગામડાંમાં સ્વયંભૂ લોકડડાઉન લાગુ કરવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં લવારપુર, ધણપ, ખારેજ ગામ સામેલ છે. મહિસાગરમાં બાલાસિનોરના જેઠોલીમાં 18 કેસ નોંધાતા 3 દિવસ સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવાયું છે. બારડોલીના કડોદ બાદ માંડવી પણ આંશિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં ખેડા, પાલનપુર, ડીસા, નવસારી વગેરે અનેક વિસ્તારોમાં સ્યંભૂ લોકડાઉન અને આંશિક લોકડાઉન લાગુ થયા છે. આ તમામ ગામડાં પરિસ્થિતિને અનુસરતાં જરુરત મુજબની છૂટછાટ સાથે સ્વૈચ્છિક લોકડાઉન અપનાવી રહ્યા છે.