Please enable javascript.Sidhpur Jama Masjid,સિદ્ધપુરની જામા મસ્જિદ એક મંદિર છે, કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો દાવો - suit filed claiming sidhpurs jama masjid is a solanki era temple called rudra mahalaya - Iam Gujarat

સિદ્ધપુરની જામા મસ્જિદ એક મંદિર છે, કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો દાવો

Authored byચિંતન રામી | I am Gujarat 10 Jul 2024, 12:56 pm
Subscribe

હાલમાં ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેરની એક મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં કહેવામાં આવે છે કે સિદ્ધપુરની જામા મસ્જિદ પહેલા રૂદ્ર મહાલય નામનું મંદિર હતું. હવે આ બાબત કોર્ટમાં ગઈ છે. કોર્ટમાં આ મસ્જિદ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દાવામાં કહેવામાં આવ્યું છે કે સૌ પ્રથમ ખિલજીના શાસન દરમિયાન આ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

હાઈલાઈટ્સ:

  • ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેરમાં આવેલી જામા મસ્જિદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે
  • આ દાવો એક વકીલ અજય પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે
  • અરજદારો દાવો કરે છે કે મંદિર 10મી સદીમાં સોલંકી વંશના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું
Sidhpur Jama Masjid
ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેરમાં આવેલી જામા મસ્જિદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે
ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેરમાં આવેલી જામા મસ્જિદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં હવે સ્થાનિક કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે જેમાં મસ્જિદ પરિસરનો કબજો મેળવવા અને ત્યાં ઈસ્લામિક પૂજાનો અંત લાવવાની માંગણી કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મસ્જિદ હકિકતમાં સોલંકી યુગનું એક મંદિર છે જેને રૂદ્ર મહાલય મંદિર તરીકે ઓળખવામાં આવતું હતું. આ દાવો એક વકીલ અજય પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. અજય પ્રતાપ સિંહ દાવો કરી રહ્યા છે કે તેઓ મુસ્લિમો દ્વારા પચાવી પાડવામાં આવેલા હિંદુ ધાર્મિક સ્થળોને ફરીથી મેળવવાના મિશન પર છે. દાવો પરિસરમાં મુકવામાં આવેલ બાંધકામને દૂર કરવાની અથવા "રુદ્ર મહાલય મંદિરની મૂળ પ્રકૃતિ" ની વિરુદ્ધમાં જવાની માંગણી કરે છે.
અરજદારો દાવો કરે છે કે મંદિર 10મી સદીમાં સોલંકી વંશના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને હિન્દુ સમુદાય માટે ઐતિહાસિક મહત્વ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ સ્થળને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત સ્મારક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિદ્ધપુર હિંદુઓના અંતિમ સંસ્કાર માટેનું પવિત્ર સ્થળ છે, પરંતુ રુદ્ર મહાલય પર મસ્જિદના રૂપમાં અતિક્રમણ કરવામાં આવ્યું હોવાથી હિંદુ ઉપાસકો માટે અવરોધ ઉભો થયો છે.

અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મંદિર પર સૌપ્રથમ 1297માં અલાઉદ્દીન ખિલજીના શાસન દરમિયાન અને ત્યારબાદ 15મી સદીની શરૂઆતમાં અમદાવાદ શહેરના સ્થાપક સુલતાન અહેમદ શાહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મંદિરમાં ગર્ભગૃહને તોડીને મસ્જિદ બનાવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાલની જામા મસ્જિદ એ રૂદ્ર મહાલય મંદિરનું તોડી પાડવામાં આવેલું ગર્ભ ગૃહ છે અને સમગ્ર માળખુ પ્રાણ પ્રતિષ્ઠિત રૂદ્ર મહાલય મંદિરનું છે. એવી દલીલ કરવામાં આવી છે કે જ્યારે મુસ્લિમ આક્રમણકારોએ મંદિરના મોટા ભાગનો નાશ કર્યો હતો અને એક મસ્જિદ બનાવી હતી જે 57 ફૂટ લાંબી છે. 1819માં આવેલા ભૂકંપના કારણે અમુક અવશેષો અને સ્તંભોને નુકસાન થયું હતું. કોર્ટે આ બાબતને 29 ઓગસ્ટ માટે સમન્સ અથવા નોટિસ જારી કરવા માટે પોસ્ટ કરી હતી.
ચિંતન રામી
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો