Please enable javascript.ભગવાન જગન્નાથની કૃપાથી ડોનાલ્ડ ટ્રમ્પ મોતના મુખમાંથી બચી ગયા? - donald trump help rath yatra connection - Iam Gujarat

ભગવાન જગન્નાથની કૃપાથી ડોનાલ્ડ ટ્રમ્પ મોતના મુખમાંથી બચી ગયા?

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 15 Jul 2024, 12:35 pm
Subscribe

ડોનાલ્ડ ટ્રમ્પનો ઘાતકી હુમલામાં આબાદ બચાવ થયો તે ભગવાન જગન્નાથના આશીર્વાદના કારણે છે તેવું ઈસ્કોનનું કહેવું છે. લગભગ 48 વર્ષ અગાઉ ન્યૂયોર્કમાં પહેલી વખત રથયાત્રા કાઢવામાં આવી ત્યારે ટ્રમ્પે પોતાનો પાર્ક મફતમાં વાપરવા આપ્યો હતો. તેના કારણે ત્યાં રથયાત્રાના રથનું નિર્માણ થઈ શક્યું હતું. ટ્રમ્પને આ પુણ્યનો ફાયદો થયો છે તેવો ઈસ્કોનનો દાવો છે.

હાઈલાઈટ્સ:

  • 48 વર્ષ અગાઉ 1976માં અમેરિકામાં ન્યૂયોર્કમાં પ્રથમ જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવી
  • તે સમયે ટ્રમ્પ તેમાં નિમિત્ત બન્યા હતા અને રથયાત્રામાં ટ્રમ્પે મદદ કરી હતી.
  • ભગવાનની કૃપા ઉતરી અને ગોળીબારમાં ટ્રમ્પ બચી ગયા એવું ઈસ્કોનનું કહેવું છે
trumps.
ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ પાંચ દાયકા અગાઉ રથયાત્રામાં મદદ કરી હતી એવું કહેવાય છે
અમેરિકામાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઘાતકી હુમલો થયો તેમાં ટ્રમ્પ તો સહેજમાં બચી ગયા છે, પરંતુ આના કારણે ઘણી બધી થિયરીઓ વહેતી થઈ છે. હુમલાખોરની ગોળી ટ્રમ્પના કાનને ઘસરકો લગાવીને નીકળી ગઈ. એટલે કે ટ્રમ્પના જીવન અને મોત વચ્ચે માત્ર અમુલ મિલીમીટરનું અંતર હતું. આ દરમિયાન ઈસ્કોનનો દાવો છે કે ભગવાન જગન્નાથની કૃપાથી ટ્રમ્પ બચી ગયા છે કારણ કે ટ્રમ્પ જ્યારે પ્રેસિડન્ટ હતા ત્યારે ભગવાન જગન્નાથના ભક્તોની ફેવરમાં એક નિર્ણય લીધો હતો.
ઈસ્કોન એટલે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સસનેશનું કહેવું છે કે આજથી 48 વર્ષ અગાઉ 1976માં અમેરિકામાં ન્યૂયોર્કમાં સૌ પ્રથમ જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવી ત્યારે ટ્રમ્પ તેમાં નિમિત્ત બન્યા હતા અને રથયાત્રામાં ટ્રમ્પે મદદ કરી હતી. આના કારણે ભગવાનની કૃપા ઉતરી અને ગોળીબારમાં ટ્રમ્પ બચી ગયા છે.

ઈસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે 48 વર્ષ અગાઉ ન્યૂયોર્કમાં પહેલી વખત જગન્નાથ રથયાત્રા નીકળી ત્યારે ટ્રમ્પ તેની સાથે સંકળાયેલા હતા.. તેમણે ભક્તોને મદદ કરી હતી. તેથી ટ્રમ્પ પર હુમલો થયો ત્યારે દિવ્ય શક્તિએ ટ્રમ્પની મદદ કરી છે. હાલમાં જગન્નાથ રથયાત્રાનો તહેવાર ચાલુ છે ત્યારે ટ્રમ્પ બચી ગયા છે. જગન્નાથ ભગવાને જ તેમને બચાવી લીધા છે.

ઈસ્કોનના પ્રવક્તા રાધારામ દાસ લખે છે કે જુલાઈ 1976માં ન્યૂયોર્કમાં પહેલી વખત જગન્નાથ રથયાત્રા નીકળવાની હતી. તેના માટે ટ્રમ્પે પોતાનો ટ્રેન યાર્ડ ફ્રીમાં આપ્યો હતો જેથી કરીને ત્યાં રથનું નિર્માણ કરી શકાયું હતું. હાલમાં 9 દિવસનો જગન્નાથ રથયાત્રા મહોત્સવ ચાલે છે ત્યારે ટ્ર્મ્પનો એક હુમલામાં સહેજમાં બચાવ થયો છે. આ ભગવાન જગન્નાથની કૃપાથી થયું છે.

તેઓ કહે છે કે ઈસ્કોને જ્યારે ન્યૂયોર્કમાં પહેલી રથયાત્રા યોજવાનો નિર્ણય લીધો ત્યારે ઘણા બધા પડકારો હતા. ફિફ્થ એવન્યુ પર પરેડ કાઢવાની મંજૂરી મળી તે બહુ મોટી વાત હતી. પરંતુ રથ બનાવવા માટે એક વિશાળ જગ્યા જોઈતી હતી. આવી જગ્યા મેળવવી બહુ મુશ્કેલ હતી. અમે કેટલાય લોકો પાસે ગયા અને મદદ માગી પરંતુ કંઈ ન મળ્યું. ત્યાર પછી ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમારા માટે આશાનું કિરણ બનીને ઉભરી આવ્યા. ટ્ર્મ્પ તે સમયે પણ બહુ મોટા બિઝનેસમેન હતા.

ટ્રમ્પ પર હુમલાની ઘટનાએ અમેરિકા સહિત આખી દુનિયામાં ચર્ચા જગાવી છે. આ ષડયંત્ર કેવી રીતે ઘડાયું અને તેની પાછળ કોણ સામેલ હતું તેવા સવાલો થઈ રહ્યા છે ત્યારે ઈસ્કોનનો દાવો છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે આજથી લગભગ 48 વર્ષ અગાઉ ટ્રમ્પે જે મદદ કરી હતી તેના કારણે તેઓ બચી ગયા છે.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો