Please enable javascript.Puja Khedkar,IAS પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી, OBC-વિકલાંગતાનો દાવો ખોટો હશે તો થશે ટર્મિનેટ - ias probationer puja khedkar faces termination if disability obc claims untrue - Iam Gujarat

IAS પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી, OBC-વિકલાંગતાનો દાવો ખોટો હશે તો થશે ટર્મિનેટ

Authored byચિંતન રામી | I am Gujarat 13 Jul 2024, 12:48 pm
Subscribe

મહારાષ્ટ્રમાં એક મહિલા IAS અધિકારી પૂજા ખેડકર વિવાદોમાં આવી છે પરંતુ વિવાદના કારણે તેની મુશ્કેલીઓ વધી છે. પૂજા ખેડકરે સિવિલ સર્વિસની જોબ માટે OBC અને વિકલાંગતાના જે સર્ટિફિકેટ રજૂ કર્યા છે તેની સામે સવાલો ઊભા થયા છે. સરકાર દ્વારા તેની તપાસ કરવામાં આવશે અને જો તે ખોટા હશે તો તેને ટર્મિનેટ કરવામાં આવી શકે છે.

હાઈલાઈટ્સ:

  • પ્રોબેશનરી IAS પૂજા ખેડકર સામે ટર્મિનેશનની તલવાર લટકી રહી છે
  • તેના કેસની તપાસ કરવા માટે કેન્દ્ર દ્વારા વન-મેન પેનલની રચના કરવામાં આવી છે
  • જો તપાસમાં તેણે કોઈ ગડબડ કરી હોવાનું સામે આવશે તો તેણે નોકરીથી હાથ ધોવા પડશે
puja khedkar
પ્રોબેશનરી IAS અધિકારી પૂજા ખેડકર હાલમાં વિવાદોમાં ફસાઈ છે
હાલમાં પ્રોબેશનરી IAS અધિકારી પૂજા ખેડકર વિવાદોમાં સપડાઈ છે. જોકે, તેની મુશ્કેલીઓ હજી પણ વધી શકે છે અને તેના પર ટર્મિનેશનની તલવાર લટકી રહી છે. પૂજા ખેડકરના ડિસેબિલિટી અને OBC સ્ટેટસના દાવાની અધિકૃતતાને લઈને સવાલો ઉઠ્યા છે. તેણે પોતાની નિમણૂક દરમિયાન આ બંને સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. પરંતુ હવે આ સર્ટિફિકેટ સામે સવાલો ઊભા થયા છે. કેન્દ્ર દ્વારા વન-મેન પેનલ બનાવવામાં આવી છે અને તે આની તપાસ કરશે. તપાસમાં કોઈ પણ ગેરરીતી સામે આવશે તો પૂજા ખેડકરને ટર્મિનેટ કરવામાં આવી શકે છે અને તેની સામે ખોટા દસ્તાવેજો રજૂ કરવા અંગેના ક્રિમિનલ ચાર્જિસ પણ લાગી શકે છે. પૂજા ખેડકર હાલમાં પ્રોબેશન પર છે પરંતુ તેણે પોતાની પ્રાઈવેટ કાર પર IASની સરકારી કાર પર લગાવવામાં આવતી રેડ-બ્લૂ બિકન લાઈટ લગાવી હતી અને મહારાષ્ટ્ર સરકારનું ચિન્હ પણ લગાવ્યું હતું. તેનો આ વિડીયો વાયરલ થયા બાદ તે વિવાદોમાં અને મુશ્કેલીમાં મુકાઈ છે.
સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે DoPT અધિક સચિવ મનોજ દ્વિવેદીની પેનલ આગામી બે અઠવાડિયામાં તપાસ કરશે કે પૂજા ખેડકરે તેની વિકલાંગતા અને OBC દરજ્જો સ્થાપિત કરતા દસ્તાવેજો કેવી રીતે મેળવ્યા હતા. એટલું જ નહીં આ જે ઓથોરિટી દ્વારા આ ડોક્યુમેન્ટ્સ જારી કરવામાં આવ્યા હતા તેમણે યોગ્ય ચકાસણી કરી હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પૂજા ખેડકર 'પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ (PwBD)' કેટેગરીમાં IAS માટે લાયકાત ધરાવતા હોવા છતાં, તેમની વિકલાંગતાની પુષ્ટિ કરવા માટે AIIMS દિલ્હી ખાતે ફરજિયાત તબીબી પરીક્ષણોમાં હાજર થવામાં વારંવાર નિષ્ફળ રહી હોવાનું કહેવાય છે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે એક સૂત્રએ જણાવ્યું હતું કે, પેનલ તેના તારણો DoPTને સબમિટ કરશે જે પછી મહારાષ્ટ્ર સરકારને ભલામણો સાથે રિપોર્ટ મોકલવામાં આવશે, કારણ કે તેને મહારાષ્ટ્ર કેડર ફાળવવામાં આવી છે. જો તેના OBC અને વિકલાંગતાના ડોક્યુમેન્ટ્સ બનાવટી હશે તો તે દોષિત ઠરશે અને રાજ્ય સરકાર તેને ટર્મિનેટ પણ કરી શકે છે. આ ઉપરાંત પૂજા ખેડકરને બનાવટી અને ખોટી રજૂઆત માટે ક્રિમિનલ ચાર્જીસનો સામનો કરવો પડી શકે છે.

પૂજા ખેડકરના દાવાઓની તપાસ કરતી DoPT પેનલ તેના OBC સ્ટેટસને ચકાસવા માટે સામાજિક ન્યાય મંત્રાલયની મદદ લે તેવી શક્યતા છે. પૂજા પોતે આર્થિક રીતે નબળા વર્ગમાંથી હોવાનો દાવો કરે છે પરંતુ તેના પિતા તાજેતરની લોકસભાની ચૂંટણી લડી હતી અને તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તેમની સંપત્તિ 40 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાહેર કર્યું હતું. ખેડકરને કરોડોની કિંમતના ફ્લેટ અને પ્લોટના માલિક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. પૂજા ખેડકરના પિતા પણ ભૂતપૂર્વ અધિકારી છે. આ પેનલ AIIMS દિલ્હીના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને પૂજા ખેડકર દ્વારા દાવો કરવામાં આવેલી વિઝ્યુઅલ અને મેન્ટલ ડિસેબિલિટી સરકારમાં રોજગાર માટેના માપદંડોને પૂર્ણ કરે છે કે કેમ તેની પણ તપાસ કરશે.

એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસના ઉમેદવારે PwBD કેટેગરીમાં પસંદગી માટે ખોટા વિકલાંગતાના દાવા કર્યા હોવાનો આ પહેલો કેસ નથી. લગભગ દર વર્ષે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ખોટા વિકલાંગતાના દાવાઓના આધારે પસંદ કરાયેલા લોકોએ AIIMS દિલ્હીમાં ફરજિયાત તબીબી પરીક્ષણ ટાળ્યું હોય અને અન્યત્ર પરીક્ષણની માંગ કરવા માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં પણ આ બાબતને આગળ વધારી હોય. પરંતુ તેમ છતાં તેઓ ટેસ્ટમાં નિષ્ફળ ગયા પછી એપોઈન્ટમેન્ટ જાળવી શક્યા ન હતા.
ચિંતન રામી
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો