Please enable javascript.Green Coriander Juice: કિડની સ્ટોનથી લઇ ડાયાબિટીસ સુધી, લીલા ધાણાનો જ્યૂસ પીવાથી આ બીમારીઓ થશે દૂર - benefits of green coriander juice for health according to experts - Iam Gujarat

Green Coriander Juice: કિડની સ્ટોનથી લઇ ડાયાબિટીસ સુધી, લીલા ધાણાનો જ્યૂસ પીવાથી આ બીમારીઓ થશે દૂર

Authored byહેતલ ડાભી | I am Gujarat 18 Aug 2024, 10:00 am
Subscribe

Summer Health Tips: લીલા ધાણાનો જ્યૂસ પીવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ મળે છે. આ જ્યૂસના સેવનથી અનેક બીમારીઓનું જોખમ દૂર થાય છે. અહીં જાણો, લીલા ધાણાનો જ્યૂસ પીવાના ફાયદાઓ વિશે.

benefits of green coriander juice for health according to experts
Green Coriander Juice: કિડની સ્ટોનથી લઇ ડાયાબિટીસ સુધી, લીલા ધાણાનો જ્યૂસ પીવાથી આ બીમારીઓ થશે દૂર
Green Coriander Benefits: લીલા ધાણાને હર્બ કહેવામાં આવે છે, તે માત્ર ભોજનમાં સ્વાદ વધારવાનું કામ નથી કરતા પરંતુ અનેક રોગો સામે બચાવ પણ કરે છે. તેનો ઉપયોગ ભોજન, ચટણી અને જ્યૂસ તરીકે પણ કરવામાં આવે છે.

WebMD અનુસાર, લીલા ધાણા પોતાના આયુર્વેદિક ગુણોના કારણે વિભિન્ન ચિકિત્સા અને સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. જેમ કે, પાચન સંબંધિત સમસ્યા, વેઇટ લોસ અને બોડી ડિટોક્સ વગેરે. આ સિવાય લીલા ધાણાનો જ્યૂસ પાચનમાં સુધાર લાવે છે ઉપરાંત અપચો, ગેસ અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. તેના બીજ પાચન તંત્રને મજબૂત બનાવવામાં લાભદાયી છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર કરશે

​બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર કરશે

લીલા ધાણામાં વિટામિન સીની માત્રા વધારે હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ઉપરાંત સામાન્ય ઇન્ફેક્શનથી બચાવ કરી શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂસ ઓફ હેલ્થ (NIH) અનુસાર, લીલા ધાણામાં રહેલા આયુર્વેદિક ગુણો ખાસ કરીને એન્ટી માઇક્રોબિયલ ગુણવત્તા બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે.

​ડાયાબિટીસમાં ફાયદાકારક

​ડાયાબિટીસમાં ફાયદાકારક

લીલા ધાણામાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, જેનાથી શરીરમાં અનેક પ્રકારના બેક્ટેરિયા દૂર થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂસ ઓફ હેલ્થ (NIH) અનુસાર, શુગરની સમસ્યા હોય તો પણ આ જ્યૂસનું સેવન કરવાથી ફાયદો મળે છે. લીલા ધાણાનો જ્યૂસ શુગર કંટ્રોલમાં રાખે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે, કબજિયાત અને ગેસમાં પણ રાહત આપે છે.

​પથરીની સમસ્યામાં લાભદાયક

​પથરીની સમસ્યામાં લાભદાયક

નેશનલ ઇન્સ્ટિટ્યૂસ ઓફ હેલ્થ (NIH) દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, દરરોજ સવારે ખાલી પેટે ધાણાનું પાણી પીવાથી પથરીની સમસ્યામાં રાહત મળે છે. આ માટે તાજા લીલા ધાણાને પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને ગાળીને પી લો. આવું કરવાથી પથરી યુરિનના માધ્યમથી શરીરથી બહાર નિકળી જાય છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

હેતલ ડાભી
લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો