Please enable javascript.Suryakumar Yadav Captain Of Indian Team,હાર્દિકની જગ્યા પર હવે સૂર્યકુમારે પણ કેપ્ટનશિપમાં રસ દાખવ્યો, ગંભીરનો સ્ટેન્ડ પણ કઈક અલગ - who will become t20 captain of indian cricket team - Iam Gujarat

હાર્દિકની જગ્યા પર હવે સૂર્યકુમારે પણ કેપ્ટનશિપમાં રસ દાખવ્યો, ગંભીરનો સ્ટેન્ડ પણ કઈક અલગ

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 17 Jul 2024, 10:36 am
Subscribe

Indian Cricket Team T20i Captainship: શ્રીલંકાના આગામી પ્રવાસ માટે ટીમના વર્તમાન વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને ભારતના નવા T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે તે લગભગ નિશ્ચિત છે. ગયા મહિને, કેરેબિયનમાં ભારતને T20 ચેમ્પિયન બનાવ્યા પછી, રોહિત શર્માએ વિરાટ અને જાડેજા સાથે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે બાદમાં કોણ શોર્ટર ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન હશે તે સવાલ ઊભો થઈ રહ્યો છે.

file pic
ફાઈલ ફોટો
Indian Cricket Team T20i Captainship: આક્રમક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 2026 વર્લ્ડ કપ સુધી ભારતના T20 કેપ્ટન બનવાની રેસમાં ડાર્ક હોર્સ તરીકે ઉભરી આવ્યો છે. તે ટોચના દાવેદાર હાર્દિક પંડ્યાને પાછળ છોડી શકે છે, જેને અત્યાર સુધી વાઇસ-કેપ્ટનમાંથી કેપ્ટન બનાવવાની લોજિકલ સિલેક્શન માનવામાં આવતું હતું. હાર્દિકે આ મહિને શ્રીલંકા સામે ટી20 ફોર્મેટની મેચો માટે પોતાને ઉપલબ્ધ કરાવ્યો હતો, પરંતુ એવું જાણવા મળ્યું છે કે સૂર્યકુમાર યાદવને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને ભારતનો આગામી ટી20 કેપ્ટન કેમ જાહેર કરી શકાય તે ત્રણ કારણો જાણવાનો પ્રયાસ કરીએ.

ફિટનેસનો સવાલ પંડ્યાના માર્ગમાં અવરોધ ઊભો કરી શકે
હાર્દિક પંડ્યાને ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરેલુ 50-ઓવરના વર્લ્ડ કપ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને આઈપીએલ 2024ની શરૂઆત સુધી તે રમતમાંથી બહાર હતો. IPL 2024માં મુંબઈની કેપ્ટનશીપ મળ્યા બાદ તે મેદાનમાં પાછો ફર્યો હતો, પરંતુ તે ભારત માટે માત્ર T-20 ફોર્મેટ પૂરતો જ મર્યાદિત હતો. જો જોવામાં આવે તો, હાર્દિકે 2022ની શરૂઆતથી ભારતીય ટીમની 79 T20I મેચોમાંથી માત્ર 46માં ભાગ લીધો છે.

સૂર્યાનું કેપ્ટનશિપમાં ડેડિકેશન
આ દરમિયાન, સૂર્યકુમાર અગાઉ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તાજેતરમાં, તેણે ગયા નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ પછી તરત જ ઓસ્ટ્રેલિયા સામે 4-1થી ઘરઆંગણે T20 શ્રેણી જીતવા માટે ભારતનું નેતૃત્વ કર્યું હતું, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં તેની કપ્તાની હેઠળ 1-1થી શ્રેણી ટાઈ થઈ હતી. આ ફોર્મેટની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી પામનારા પ્રથમ નામોમાં સૂર્યકુમાર એક છે.

ગૌતમ ગંભીરની પસંદગી પણ સૂર્યા છે!27 જુલાઈથી શરૂ થઈ રહેલો ભારતનો શ્રીલંકા પ્રવાસ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પહેલી લિટમસ ટેસ્ટ હશે. રાહુલ દ્રવિડનું સ્થાન લેનાર ગંભીર, આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમને તૈયાર કરવા માંગે છે, જે ભારત 2026મા કો-હોસ્ટ કરવા જઈ રહી છે. સુકાનીપદ માટે ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરની પ્રથમ પસંદગી સૂર્યકુમાર યાદવ છે. સૂર્યા ગંભીરની કપ્તાની હેઠળ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહી ચૂક્યો છે, આ સિવાય અગરકર અને યાદવનું મુંબઈ કનેક્શન પણ જાણીતું છે.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો