ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2024ની સિઝન ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની અંતિમ ટુર્નામેન્ટ માનવામાં આવે છે. ધોની ઓલ્ડ વાઈન જેવો છે જેમ જેમ તેની વય વધી રહી છે તેમ તેમ તેની બેટિંગ પણ અસાધારણ બની રહી છે. તેથી ધોની માટે ઉંમર ફક્ત એક સંખ્યા છે. ધોની હરીફ બોલરોની ધોલાઈ કરવામાં પાછો પડી રહ્યો નથી. હાલમાં તે બેટિંગમાં ઘણા નીચા ક્રમે આવે છે તેમ છતાં તેની બેટિંગ જોવી એક લ્હાવો હોય છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન અને આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી ચૂકેલા એબી ડી વિલિયર્સનું કહેવું છે કે 42 વર્ષીય ધોનીનું પ્રદર્શન લાજવાબ રહ્યું છે. ડી વિલિયર્સનું કહેવું છે કે, હાલમાં ધોની આઈપીએલનો સૌથી શ્રેષ્ઠ ફિનિશર છે પરંતુ તેણે બેટિંગ ક્રમમાં ઉપર આવવાની જરૂર છે.જોકે, ડી વિલિયર્સનું કહેવું છે કે આગામી મેચોમાં ધોનીને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવો જોઈએ જેથી કરીને ચેન્નઈ સુપર કિંગ્સને પણ ફાયદો થશે. ડી વિલિયર્સે જણાવ્યું હતું કે, હું સમજું છું કે તે એક એવો ખેલાડી છે જે આજકાલ વધારે ક્રિકેટ નથી રમી રહ્યો. તે આવે છે, આઈપીએલની તૈયારી કરે છે અને રમે છે. કદાચ તે આટલા શાનદાર ફોર્મમાં નથી એવું વિચારીને નીચલા ક્રમમાં બેટિંગ કરે છે, કદાચ યુવાન ખેલાડીઓને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવાની તક આપવા માટે તે આવું કરે છે.
"આના જેવા આંકડા, મારા માટે તેની સાથે સહમત થવું ખૂબ જ મુશ્કેલ છે. નવ બોલમાં અણનમ 28 રન, ચાર બોલમાં 20 રન... આ આંકાડ ઘણા શ્રેષ્ઠ લાગે છે. તે જોઈને આપણને લાગે છે કે ધોનીએ બેટિંગ ક્રમમાં 5 અથવા 6 નંબર પર જવું જોઈએ. હું એમ નથી કહેતો કે જાઓ અને નંબર 3 પર બેટિંગ કરો, પરંતુ ફક્ત તમારી જાતને થોડા વધુ બોલ રમવાની તક આપો કેમ કે તે ખતરનાક બેટ્સમેન છે અને તમે વર્ષોથી ચેન્નઈને ઘણી મેચો જીતાડી છે. મને લાગે છે કે તમામ લોકો ધોનીને બેટિંગ ક્રમમાં ઉપર બેટિંગ કરતો જોવાનું પસંદ કરશે, તેમ ડી વિલિયર્સે ઉમેર્યું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ભૂતપૂર્વ સ્ટાર ડી વિલિયર્સે ટિપ્પણી કરી હતી કે આટલા લાંબા સમય સુધી ટીમની સેવા કરવા છતાં, ધોની ચેન્નઈનો સૌથી વિનાશક ખેલાડી છે. તેણે કહ્યું હતું કે, હું કહીશ કે 12 થી 14 ઓવર પછી વિકેટ પડે ત્યારે બેટિંગમાં જવું જોઈએ, પછી ભલે તે એક વિકેટ પડી હોય કે પાંચ વિકેટ પડી હોય. ધોનીએ બેટિંગમાં જવું જોઈએ, કદાચ ચેન્નઈએ આવી વ્યૂહરચના કરવી જોઈએ. મને લાગે છે કે તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે ખૂબ અસરકારક રહેશે. આટલા વર્ષો પછી તે ટીમનો સૌથી વિનાશક ખેલાડી છે, મને લાગે છે કે તે આ ક્ષણે સમગ્ર આઈપીએલમાં શ્રેષ્ઠ ફિનિશર છે.
"આના જેવા આંકડા, મારા માટે તેની સાથે સહમત થવું ખૂબ જ મુશ્કેલ છે. નવ બોલમાં અણનમ 28 રન, ચાર બોલમાં 20 રન... આ આંકાડ ઘણા શ્રેષ્ઠ લાગે છે. તે જોઈને આપણને લાગે છે કે ધોનીએ બેટિંગ ક્રમમાં 5 અથવા 6 નંબર પર જવું જોઈએ. હું એમ નથી કહેતો કે જાઓ અને નંબર 3 પર બેટિંગ કરો, પરંતુ ફક્ત તમારી જાતને થોડા વધુ બોલ રમવાની તક આપો કેમ કે તે ખતરનાક બેટ્સમેન છે અને તમે વર્ષોથી ચેન્નઈને ઘણી મેચો જીતાડી છે. મને લાગે છે કે તમામ લોકો ધોનીને બેટિંગ ક્રમમાં ઉપર બેટિંગ કરતો જોવાનું પસંદ કરશે, તેમ ડી વિલિયર્સે ઉમેર્યું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ભૂતપૂર્વ સ્ટાર ડી વિલિયર્સે ટિપ્પણી કરી હતી કે આટલા લાંબા સમય સુધી ટીમની સેવા કરવા છતાં, ધોની ચેન્નઈનો સૌથી વિનાશક ખેલાડી છે. તેણે કહ્યું હતું કે, હું કહીશ કે 12 થી 14 ઓવર પછી વિકેટ પડે ત્યારે બેટિંગમાં જવું જોઈએ, પછી ભલે તે એક વિકેટ પડી હોય કે પાંચ વિકેટ પડી હોય. ધોનીએ બેટિંગમાં જવું જોઈએ, કદાચ ચેન્નઈએ આવી વ્યૂહરચના કરવી જોઈએ. મને લાગે છે કે તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે ખૂબ અસરકારક રહેશે. આટલા વર્ષો પછી તે ટીમનો સૌથી વિનાશક ખેલાડી છે, મને લાગે છે કે તે આ ક્ષણે સમગ્ર આઈપીએલમાં શ્રેષ્ઠ ફિનિશર છે.